English

આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિ

 

       આવી વિવિધ સંસ્કારપ્રવૃતિ ઉપરાંત SMVS સંસ્થામાં વિવિધ સામાજીક પ્રવૃતિઓ પણ થઈ રહી છે. ગરીબ આદિવાસી જન સમુદાય ધરાવતા પંચહાલ જીલ્લાનાં અનેકાનેક ગામના વેરણ છેરણ ઝૂંપડાઓમાં વ્યસનો, અક્ષરજ્ઞાનનો અભાવ, ક્લેશ ને અંધશ્રધ્ધા તથા વહેમનાં માળાં બાંધ્યા હતા. ત્યાં જઈને પૂ.સંતોના અથાગ પ્રયત્નોથી શુધ્ધ વાણી અને વર્તનથી આદિવાસી જનોમાં આમૂલ પરિવર્તન થયું છે. આ અદિવાસીઓમાં ઉત્થાન માટે પૂ.સંતોનું સતત વિચરણ ચાલુ ને ચાલુ જ રહ્યું છે.

       આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સંમેલન, ધાબળાદાન, વસ્ત્રદાન, પશુ ચિકિત્સાકેમ્પ, નોટબુક વિતરણ જેવા વિવિધ સેવા કાર્યો ધ્વારા SMVS સતત પ્રયત્નશીલ રહી છે.

       આ ઉપરાંત આદિવાસી વિસ્તાર પંચમહાલમાં, હરતું ફરતું દવાખાનું પણ શરુ કરવામાં આવ્યું છે.

 

___________________________________________________________________________