ચાતુર્માસના વિશેષ નિયમ - ૨૦૨૩

શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ...

૧. દરરોજ જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)

૨. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ વાર મુજબની એક દૈનિક પ્રાર્થના કરીશ. (ફરજીયાત)

૩. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.

૪. દર એકાદશીએ સંકલ્પ સભાનો અને પૂનમના સમૈયાનો પ્રત્યક્ષ અથવા ઓનલાઈન લાભ લઈશ.

૫. બજારું ખાણી-પીણીનો ત્યાગ કરીશ.

૬. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.

૭. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.

શ્રાવણમાસના વિશેષ નિયમ - ૨૦૨૩ (બાળકો માટે)

શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... શ્રાવણ માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ...

૧. અઠવાડીક બાળસભાનો લાભ લઈશ. (ફરજીયાત)

૨. દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ. (ફરજીયાત)

૩. માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.

૪. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.

૫. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ એક વાર મુજબની દૈનિક પ્રાર્થના કરીશ.

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'mcrypt' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: