April 12, 2021
“મનુષ્યમાત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં.” શ્રીહરિના દિવ્ય વચનને હૈયે ધરી દાસત્વભાવનું મહત્ત્વ સમજીએ.
March 29, 2021
સકામ મટી નિષ્કામ થઈએ, વાંચન કર્યા બાદ મુમુક્ષુની અંતરની વ્યથાને મહારાજની મરજીમાં ભળવાની કેવી તૈયારી હોય તે માણીએ.
March 22, 2021
“ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ;
બેઉ કામ ન બગાડીએ, થઈએ ખરા હરિના દાસ.”
ખરેખરા નિષ્કામ બનવા આપણા પ્રેક્ટિકલ જીવનમાં શું કરવું ??
March 15, 2021
“કીડી ચોખા લે ચલી બીચમેં મીલી દાલ;
દોનો બાતે નહીં બને કા સેથો કા તાલ.”
ભગવાનના ભક્ત થયા પછી સાંસારિક ને ભૌતિક સુખની ઇચ્છા ને મૂર્તિનું સુખ બંને શક્ય નથી. ખરેખર નિષ્કામ બનવાનું મહત્ત્વ શું છે ?
March 8, 2021
સકામ ભક્તનો સત્સંગ એટલે ગંજીફાના પાનાની બનાવેલ ઇમારત. સહેજ પવનની લેરખી પણ પાડી દે, માટે સકામ બનવાથી જીવનમાં કેવા નુકસાન થાય તે જોઈએ.
March 1, 2021
શ્રીહરિના અંતરનો રાજીપો મેળવવા નિષ્કામભક્તિ શ્રેષ્ઠ સાધન છે તો આવો, અહીં શ્રીજીમહારાજ ને મોટાપુરુષના દિવ્ય કૃપાવચનો દ્વારા નિષ્કામભક્તિ દૃઢ કરીએ.
February 22, 2021
કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે મૂઆને જીવતો કરવો કે મારવો એ તો અમને નથી આવડતું. પણ જીવનું જે રીતે કલ્યાણ થાય... એ આવડે છે.” શ્રીહરિના ઉપદેશ વચનો તેઓની દિવ્ય રીત દ્વારા દર્શિત થાય છે.
February 15, 2021
ધન, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણની લાલસા મનુષ્યમાત્રના હૈયે વસેલી છે તેથી જ મહારાજ અને મોટા પાસે મૂર્તિસુખ સિવાય સાહજિક રીતે મગાઈ જાય છે.
February 8, 2021
“રાજીપો એક તારો માગું, બીજું કાંઈ નવ જોઈએ.” એવું બોલવા છતાંય જીવનમાં એવા કયા સમય, સંજોગ આવે છે જેણે કરીને સકામ થઈ જવાય છે ??!!
February 1, 2021
‘આપણે ભગવાનની જરૂર નથી, ભગવાન પાસેથી જરૂર છે’ જેને ભગવાનની જરૂર છે તે કોણ ? ને ભગવાન પાસેથી જરૂર છે તે કોણ ?