તા. ૨૧/૦૬/૨૦૨૦, રવિવારના રોજ સવારે ૧૦:૧૫ થી ૧૨:૦૦ સુધી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાઇવ લાભ મળનાર છે.

      તા. ૨૦/૦૬/૨૦૨૦ અને ૨૧/૦૬/૨૦૨૦ ના દિવસે સમગ્ર ભારત દેશમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું છે જે પાળવાનું રહેશે. આ ગ્રહણના દિવસે હરિભક્તોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તેની માહિતી નીચે પ્રમાણે છે.

 

તા. ૨૦/૦૬/૨૦૨૦ અને ૨૧/૦૬/૨૦૨૦ ગ્રહણનો સમય

વેધ :- તા. ૨૦/૦૬/૨૦૨૦ રાત્રે ૧૦:૦૩ વાગ્યે

સ્પર્શ :- તા. ૨૧/૦૬/૨૦૨૦ સવારે ૧૦:૦૩ વાગ્યે

મોક્ષ :- તા. ૨૧/૦૬/૨૦૨૦ બપોરે ૦૧:૪૦ વાગ્યે

હરિભક્તો માટેની માહિતી

  • તા. ૨૦/૦૬/૨૦ ના રોજ રાત્રે ૧૦:૦૩ વાગે ગ્રહણનો વેધ બેસે છે તેથી તે પછી જમી શકાય નહિ, ફક્ત પાણી પી શકાય.
  • ગ્રહણના સમયે (તા. ૨૧/૦૬/૨૦ સવારે ૧૦:૦૩ થી બપોરે ૧:૪૦ સુધી) ઘરમાં કે અન્ય સ્થળે કાપડની વસ્તુઓનો સ્પર્શ કરવો નહિ. (ઊન, રેકઝીન કે પ્લાસ્ટિકના આસનોને અડવામાં બાધ નથી.) આ સમય દરમ્યાન પાણી પણ પીવું નહિ.
  • ગ્રહણના સમયે (તા. ૨૧/૦૬/૨૦ સવારે ૧૦:૦૩ થી બપોરે ૧:૪૦ સુધી) ઘરે સમૂહમાં ભજન-ભક્તિનો લાભ લેવો. હાલ કોરોના મહામારી હોવાથી કોઈએ મંદિરે જવું નહિ. આ સમયે સૂવું નહિ.
  • ગ્રહણ પૂર્ણ થયા બાદ (તા. ૨૧/૦૬/૨૦ બપોરે ૧:૪૦ પછી) પહેરેલા વસ્ત્ર સહીત સ્નાન કરવું. જે મુકતોએ જનોઈ પહેરી છે તેમને સ્નાન કરતી વખતે જનોઈ પાવડરથી ફરજીયાત ઘસવી. સ્નાન કર્યા બાદ નવી રસોઈ કરી જમી શકાય. (દિવસ દરમ્યાન દૂધનો ચોખ્ખો થાળ ધરાવેલ હોય તે પ્રસાદી જમાડી શકાય)
  • શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ ગ્રહણ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ યથાશક્તિ પ્રમાણે નજીકના SMVSના મંદિરમાં ઠાકોરજીને દાન કરવું.

 

    ગ્રહણ ક્રિયાશુદ્ધિમાં ધ્યાનમાં રાખવાની બાબતો.

  • ગ્રહણનો સ્પર્શ થાય તે પહેલા મંદિર/ઘરમાં જે કાઈ ભીનું એઠું સીધુંસામાન, પાપડ કે રસોઈ હોય તેનો નિકાલ કરવો. આ ઉપરાંત કોઈ વાસણ પણ એઠાં ન રાખવા અને રસોડાને પણ પાણીથી ધોઈ ચોખ્ખું કરવું.
  • ઠાકોરજીના થાળ માટે ચોખ્ખો લોટ, મસાલા તથા તેલ, ઘી વાપરવા. જુનો એઠો (પાણી વાળા હાથે અડેલા) લોટ, મસાલા, તેલ, ઘી વગેરે ગ્રહણ પહેલા વાપરી કાઢવું.
  • ગ્રહણ દરમ્યાન ઠાકોરજીના ચોખ્ખા થાળનું મેનુ (દૂધમાં) અગાઉથી નક્કી કરવું. અને તે પ્રમાણેનું સીધું-સામાન (લોટ, મસાલા, તેલ, દૂધ વગેરે) ચોખ્ખા હાથે તૈયાર કરી રાખવું. (પાણીવાળા ભીના હાથે અડવું નહિ)
  • ગ્રહણ દરમ્યાન ઠાકોરજી માટે રસોઈ બનાવવાની થાય તો હાથ કોરા રાખવા. પાણી વાળા હાથે ક્યાય અડવું નહિ.
  • ઠાકોરજીના રસોઈના વાસણ, ગરણું, દૂધની થેલી, શાકભાજી વગેરે અગાઉથી કોરા કરવા. (પાણીવાળા ભીના હાથે અડવું નહિ)
  • તા. ૨૧/૦૬/૨૦ ના દિવસે સવારે ૧૦ વાગ્યા પહેલા RO, માટલીનું પાણી તથા ફ્રીજનું પાણી તથા બરફનો નિકાલ કરવો.
  • જે સેન્ટરમાં પુરુષ સભ્યોને થાળ બનાવતા હોય અને ખ્યાલ ન આવતો હોય તો જે તે સેન્ટરના પૂ.સંતોને પૂછવું. અને જો મહિલા થાળ બનાવતા હોય અને ખ્યાલ ન આવતો હોય તો જે તે સેન્ટરના પૂ.મહિલા મુક્તોને પૂછવું.