240માં હરિનવમીના પ્રોગ્રામની ઓનલાઈન ઉજવણી નિમિતે સુચના

          તા21/04/2021, બુધવારના રોજ હરિનવમીનો પ્રોગ્રામ છે.  તમામ હરિભક્તોએ ઘરેથી જ આ હરિનવમીના પ્રોગ્રામમાં લાભ લેવાનો છે  જેની વિગતે સુચના નીચે મુજબ છે.

  1. દરેક હરિભક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ એકાદશીની જેમ હરિનવમીના દિવસે ફરાળ કરીને ઉપવાસ કરવો. 
  2. આ દિવસે સભાનો સમય રાત્રે 8:30 થી 10:30 સુધીનો રહેશે. જેનો LIVE લાભ મળશે. 
    • રાત્રે 8:30 થી 10:10 વાગ્યા સુધી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે.
  • રાત્રે 10:10 પ્રાગટ્યની આરતી 

સૌ હરિભક્તોએ પણ ઘરે આરતી તૈયાર રાખવી અને સમૂહમાં ઘરના સભ્યોએ સમૂહ આરતી ઉતારવી. આ દિવસે ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.

  • શક્ય હોય તો ઘરે ઠાકોરજીને ઝુલાવવા માટે પારણિયું તૈયાર કરવું. (કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી ઘરમાં પ્રાપ્ય વસ્તુઓથી જ પારણિયું તૈયાર કરવું.)
  • આરતી બાદ પ્રાગટ્યના આનંદના તથા ઓચ્છવના પદો બોલાશે જેનો પણ LIVE લાભ મળશે. ઘરના સૌ સભ્યોએ પણ સાથે કીર્તન બોલવા અને ઝીલાવવા.
  • ઓનલાઈન પ્રોગ્રામમાં સમૂહથાળ થશે. જેમાં ઘરે ઘરે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય બાદ ઠાકોરજી માટે પાકો થાળ તૈયાર કરવો. શક્ય હોય તો ઘરે પંચાજીરીની પ્રસાદી બનાવવી. આ દિવસે હરિનવમીનો ઉપવાસ હોવાથી ઠાકોરજીને ધરાવેલ પાકા થાળની પ્રસાદી બીજા દિવસે લેવી.
  • ઘરમંદિરમાં થાળ ધરાવ્યા બાદ ઠાકોરજીને પોઢાડવા.
  • કોઈ હરિભક્તોએ હરિનવમીના પ્રોગ્રામ માટે મંદિરે લાભ લેવા જવાનું નથી. તમામ મુક્તોએ ઓનલાઈન ઘરેથી જ લાભ લેવાનો રહેશે.
  1. હરિનવમીની ઉજવણીનો ઓનલાઈન live લાભ લેવા આપના મિત્રો તથા સગા-સંબંધીને પ્રેરણા કરવી અને સભાની લિંક વોટસએપ દ્વારા મોકલવી.