પરિચય

પ્રાગટ્ય : સંવત ૧૯૦૬

પ્રાગટ્ય સ્થળ : ગામ - ભારાસર, તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : શામજીભાઈ

ગુરુનું નામ : દીક્ષા ગુરુ - સદ્. માધવપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનગુરુ-જીવનપ્રાણ અબજીબાપાશ્રી

સંત દીક્ષા : સંવત ૧૯૨૪માં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : જ્ઞાનાચાર્ય, સદ્ગુરુશ્રી

મહંતાઈ : સ્વામિનારાયણ મંદિર, ધોળકા

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

૧. તેઓએ અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના સેવાકાર્યમાં ખૂબ મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.

૨. તેઓ અબજીબાપાશ્રીની વાતોના સંકલન કાર્યની સેવામાં સહયોગી બન્યા હતા.

૩. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોના પ્રચારકાર્યની સેવા કરી હતી તથા અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો હતો.

૪. તેઓએ અનાદિમુક્તની સ્થિતિની ઉત્તમ વાતો પીરસતો અદ્દભુત ગ્રંથ આપ્યો ‘વૃંદાવનસ્વામીની વાતો’.

અંતર્ધાન : સંવત ૨૦૦૦, કારતક વદ અમાસ

અંતર્ધાન સ્થળ : ગામ - કરજીસણ, તાલુકો - કડી, જિલ્લો - મહેસાણા, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : ૯૪ વર્ષ (સંવત ૧૯૦૬થી સંવત ૨૦૦૦)