સહનશીલતા - 12 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)

  October 15, 2013

“અમને સંતોષ છે અમારા પરિવારથી અને અમારા પરિવારના સભ્યોથી તથા અમારી આત્મીયતાથી, અમારા સંપથી. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીની અમીદ્રષ્ટિથી અમારા પરિવારની રોનક સાવ બદલાઈ જ ગઈ છે. અમે ઋણી છીએ એ દિવ્યપુરુષના (ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના) કે જેઓએ અમારા પરિવારને એક નવી દિશા અને નવું જીવન બક્ષ્યું છે. અમને ગૌરવ છે મારા પરિવાર માટે કે અમારા પરિવારના તમામ સભ્યો એક આત્મીયતાના તાંતણે બંધાયા છે, એકબીજાને મળતા હૈયા ઊભરાઈ જાય છે, આનંદ છલકાઈ જાય છે. એકબીજા માટેના વિનય, વિવેક, મર્યાદા અકબંધ છે તો વાળી પ્રેમ, લાગણી, સહાનુભૂતિનો ધસમસતો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ઘરનું વાતાવરણ એવું દિવ્ય અને મંગલમય બની ગયું છે કે પરિવારના કોઈ સભ્યોને એકબીજાથી દૂર જવાની કે ઘરની બહાર જવાની ઈચ્છા થતી નાતી. અમારા ઘરમાં મહારાજે આપેલ સંકલ્પ “સૌની સાથે સંપીને રહેવું” એ જાણે ખૂબ ટૂંકા ગળામાં સાકાર થઇ ગયો હોય એવું જણાય છે.”
Read more

સહનશીલતા - 11 (નમો અને સૌનું ખમો-3)

  October 5, 2013

ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે કાયર હોય એ જ બીજાની આગળ નમી જાય અને કોઈના શબ્દોને સહન કરી લે. બાકી આપણને કોઈ બે શબ્દ કહી શાનો જાય ? પરંતુ ભાઈ, દાદા બનવું એ વીરતા નથી. નાનાથી પણ નાના બનવું. સૌની આગળ સરળ થઇ નમી જવું. ભલે દયાળુ ! તમે જેમ કહો તેમ. મારી ભૂલ થઇ ગઈ – આ ભાવ સાથે સૌના દાસ થઇ જવું અને કોઈના બે શબ્દોને સહન કરવા, ક્યાંક કોઈના તરફથી ભાર-ભીડો કે તકલીફ મળે તો એનો પણ હસતા મુખે સ્વીકાર કરી દરેક પરિસ્થિતિને ઠરેલ બની સ્વીકારી લેવી. એ બધાને હસતે મુખે સહન કરી લેવું એ જ સાચી વીરતા છે. એ જ સાચી મહાનતા છે.
Read more