સત્સંગીના આર્થિક વ્યવહાર -5

  July 19, 2017

“જે મળ્યું છે તેમાં સંતોષ માનવો.” આ આપણા વડવાઓની ઉક્તિ ભૂલી જનાર વધુ ને વધુ મેળવવાની ઘેલછામાં વેંત કરતાં વધારે પહોળું કરજ કરી દુઃખી થાય છે. આવી ગેરસમજથી પાછા વળી મહારાજ અને મોટાના અભિપ્રાય તરફ દૃષ્ટિ કરીએ.
Read more

બાપાશ્રી પ્રત્યેની અસ્મિતા

  July 13, 2017

બાપા... બાપા... અબજીબાપા...” કહેતાં કહેતાં તો એમનું મુખ ભરાઈ જાય. એમના મુખ પર પ્રસન્તાનો મહાસાગાર લહેરાઈ જાય. બાપાશ્રી પ્રત્યે તેમને આગવો, અદ્વિતીય ને અજોડ પ્રીતિનો નાતો, અનુપમ લગાવ અને આગવી અસ્મિતા પણ એવી જ અલૌકિક ! ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં સૌને બે હસ્ત ઊંચા કરી બોલાવડાવે, “બાપા !! કોના બાપા ? આપણા બાપા...”
Read more

સત્સંગીના આર્થિક વ્યવહાર -4

  July 12, 2017

 “મારા આશ્રિત આ લોકમાં અન્ન, વસ્ત્રે દુઃખી નહિ થાય રે.” આવા દિવ્ય આશીર્વાદ આપણને સૌને આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તરફથી મળી ગયા છે પણ આપણી વધુ ને વધુ ઇચ્છાઓ, જરૂરિયાતો અને ભૌતિક સુખ મેળવવાની ઘેલછા આપણને કરજ કરવા તરફ પ્રેરે છે તો આવો આ લેખ દ્વારા પ.પૂ. સ્વામીશ્રી કરજ અંગે શું ભલામણ કરે છે તે નિહાળીએ.
Read more

આદર્શ શિષ્યની ભેટ

  July 12, 2017

સ્વામી, સ્વામી “કહેતાં મુખ ભરાઈ જાય... સ્વામી આવે છે…” સાંભળતાં જ એમનું મુખારવિંદ પ્રસન્ન થઈ મલકાઈ ઊઠે... “સ્વામી આવ્યા...? સ્વામી ક્યાં છે ?” એમ કહેતાં સ્વામીને મળવા, વિહ્‌વળ બનતા. સ્વામીને મળવા... ભેટવા... રાજીપો આપવા... બાવરા બનતા. સ્વામીના આગમનની આતુરતા જણાવતા.
Read more

કથાવાર્તા ના આગ્રહી

  July 11, 2017

24મી જાન્યુઆરી, 2003ની પ્રભાત હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી 4-5 હરિભક્તોને સાથે લઈ સુરેન્દ્રનગર બ્રહ્મસત્રમાં લાભ આપવા માટે પધારી રહ્યા હતા. સરખેજથી આગળ હાઈવે ઉપર એક ટ્રેલર અથડાતા ગુરુવર્ય પ.પૂ. બાપજી જે ગાડીમાં બિરાજ્યા હતા તેનો એક્સિડન્ટ થયો. ગાડીનો આગળનો કાચ ફૂટી ગયો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના ભાલમાં તથા મસ્તકમાં કાચના કટકા ઘૂસી ગયા તથા બ્રેકની પછડાટ વાગતાં તમ્મર આવી ગઈ હતી.
Read more

સૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ

  July 10, 2017

જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.
Read more

પરભાવની અલૌકિક સ્થિતિ

  July 9, 2017

જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે જેમનું પ્રાગટ્ય અનંત મુમુક્ષુઓને કાળ, કર્મ, માયાના બંધનથી છોડાવી મૂર્તિના સુખ સુધી બાયપાસ કરાવવા માટે છે એવા વિરલ પુરુષે આજે કંઈક નવીનતમ ચેષ્ટા કરી હતી.
Read more

નિખાલસતાનો અનુભવ

  July 8, 2017

દંભ ? કપટ ? યુક્તિ-પ્રયુક્તિ ? અરે ! ના, ભાઈ ના ! કેવી નિખાલસતા ! ઊડીને આંખે ચોંટે. નહિ કોઈ શરમ કે સંકોચ ! નહિ પોતાની પદવીનો ખ્યાલ ! નહિ કોઈ પોતાપણાનો ભાર ! હા... મુક્તો, ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિખાલસતા આગળ આપણે સૌ કોઈ ઝાંખા પડી જઈએ. જેવા એ દિવ્યપુરુષ બે-પાંચ જણની આગળ નિખાલસ હોય એવા ને એવા જ હજારો ને લાખોની મેદની વચ્ચે પણ હોય !
Read more

વચનસિદ્ધ વાણી

  July 7, 2017

દસ વર્ષ પહેલાં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલ જિલ્લાના ટીંબલા ગામે વિચરણ અર્થે પધાર્યા હતા. ગામમાં સત્સંગ ખરો. છતાં અંધશ્રદ્ધા ને ભૂવા-ભરાડીનો પ્રભાવ ગામમાં વિશેષ રહેતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમનના સમાચાર મળતા ગામના સત્સંગી બંધુઓ એકત્ર થઈ, દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બધાને પૂછ્યું કે, “અલ્યા, તમે કોઈ બકરાંની કે મરઘાંની હિંસા તો નથી કરતા ને ?” બધાએ કહ્યું, “બાપા... ના...” એવામાં કોઈક બે હાથ જોડી દીનભાવે બોલ્યા, “બાપા ! ગામમાં ઘણી વાર કોઈને સાપ કરડે તો એ વખતે તેનું ઝેર ઉતારવા માટે ભૂવા પાસે જવું પડે છે. ને ઝેર ઉતાર્યા બાદ અમારી પાસે બકરાં ને મરઘાં માગે છે... માટે શું કરીએ ? લાચાર થઈને આપવાં પડે છે.” ત્યાં તો...
Read more

અવિરત વિચરણના હિમાયતી

  July 6, 2017

“દાતણ હોય ત્યાં દીવો નહિ ને દીવો ત્યાં નહિ દાતણ.” એવું અવિરત વિચરણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણના કોલ આપતા. એવું જ અવિરત વિચરણ વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ તાદૃશ્ય થાય છે કે જેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી આત્યંતિક કલ્યાણના કોલ આપવા સખત દાખડો કરી રહ્યા છે.
Read more